ભુજ તાલુકા ના લોડાઇ ગામે મહેતા પરિવાર નાં કુળદેવી શ્રી જાસલ ભવાની માતાજી નાં મંદિર ની 20 મી વર્ષગાંઠ ધજા મોહત્સવ તારીખ 26-10-2023 નાં ગુરુવાર નાં યોજાશે

જેમાં હોમ હવન ધજા ની શોભાયાત્રા , મહા આરતી , ધ્વજ રોહણ તથા અન્ય ધાર્મિક કાર્યકમ યોજાશે જેની તાડમાડ તૈયારી ઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે સમગ્ર દિવસ નો સંપૂર્ણ લાભ માતુશ્રી અમૃત બેન જયંતિ લાલ વેલજી મહેતા પરિવારે હોસભેર લાભ લીધો છે ઉપરાંત શ્રી જાસલ ભવાની માતાજી નું મંદિર લોડાઇ ખાતે ભવ્ય થી ભવ્ય બનાવવામાં આવસે.

જેના અનુસંધાને તારીખ 25-10-2023 નાં રાત્રે નવ વાગે એક અગત્યની મીટીંગ લોડાઇ ખાતે યોજવામાં આવશે જેમાં મંદિર બનાવવામાં માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

જેમાં કચ્છ , વલસાડ તથા મુંબઈ થી મહેતા પરિવાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પ્રસંગ નાં સાક્ષી બનશે આહિરપટી નાં ગામ માં ધાર્મિક માહોલ જામી રહ્યો છે. તથા આવતા વર્ષ નાં માતાજી નાં મંદિર ની ધ્વજા રોહણ ના ચડાવા પણ લેવામાં આવશે.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *