ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં થતાં પ્રેમલગ્નમાં વાલીઓ ની સંમતિ માટે રાજ્ય સરકાર દ્વારા નવા કાયદા બનાવવાના ના સંકેત ને આવકારી સમર્થન અપાયું

ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને શુભેચ્છા પત્ર પાઠવતા અનુરોધ કરાયો છે કે આપણો દેશ ભારત વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ, વિવિધ સમાજો, વિવિધ રીતરિવાજોથી બનેલો વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. જેમાં કોઈપણ ધર્મ, સમાજ, જ્ઞાતિનો યુવક જે ૨૧ વર્ષનો હોય અને ૧૮ વર્ષની યુવતી હોય તે પરસ્પર સંમતિથી લગ્ન કરી શકે છે. પરંતુ યુવક-યુવતીઓનું વિવાહિત જીવન, ખાસ કરીને લવ મેરેજ સાથે લાંબા સમય સુધી સફળ થતું નથી, જેના કારણે ઘણી વખત યુવતીઓનું જીવન નરક બની જાય છે. દેશમાં લાખો કેસોમાં આવા લગ્ન નિષ્ફળ ગયા છે. મુખ્ય કારણ એ છે કે ૨૧ વર્ષનો છોકરો અને ૧૮ વર્ષની છોકરી આ સમયે સંપૂર્ણ પરિપક્વ નથી. તેથી તેઓ એકબીજાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકતા નથી. મોટાભાગના કિસ્સાઓમાં પ્રેમ લગ્નો માતાપિતા અથવા વાલીઓની સંમતિ વિના બાળકોને ફરીથી દત્તક લેતા નથી તેમના જીવનને નરક બનાવી દે છે. મુખ્યમંત્રીએ મહેસાણા માં યોજાયેલ એક સંમેલન માં પ્રેમલગ્નમાં વાલીઓ ની સંમતિ હોવી જરૂરી છે એવો કાયદો ઘડવાના સંકેતો આપ્યા છે ગુજરાત સરકારના આ સરાહનીય પગલાને સંસ્થા દ્વારા સમર્થન અપાયું છે.
જ્યારે અલગ-અલગ ધર્મના યુવક-યુવતીઓ અથવા અલગ-અલગ સમાજના યુવક-યુવતીઓ વચ્ચે પ્રેમ લગ્ન હોય છે, ત્યારે આવા લગ્નોમાં યુવક-યુવતીઓ એકબીજા વિશે બહુ ઓછું જાણતા હોય છે. બંનેમાંથી એક બીજાને છેતરી શકે છે. લવ મેરેજ માં છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવ્યા છે. ઘણા કિસ્સામાં યુવકો યુવતીઓને પ્રેમની લાલચ આપીને લગ્ન કરીને દેશના અન્ય ભાગોમાં કે વિદેશમાં વેચી દેતા હોય છે. આવા હજારો કિસ્સાઓ સામે આવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ આંકડા મુજબ તાજેતરમાં દેશમાંથી તેર લાખ થી પણ વધુ યુવતીઓ અને મહિલાઓ લાપતા બની છે જે સૂચવે છે કે દેશમાં આવા અનેક યુવકોએ પૈસા કમાવવા માટે એકથી વધુ યુવતીઓને પોતાનો શિકાર બનાવી છે. પછી આવા સંજોગોમાં ઘણી મહિલાઓ અને યુવતીઓ આત્મહત્યાનો માર્ગ અપનાવતી હોય છે. દેશના મેટ્રો શહેરો તેમજ વિદેશની મોટી હોટલ-રિસોર્ટમાં આવી પીડિત યુવતીઓ નાચતી અને ગ્રાહકોને મંત્રમુગ્ધ કરતી જોવા મળે છે. છોકરીઓને નરકના જીવનમાંથી બચાવવાનો એક જ શ્રેષ્ઠ રસ્તો છે વિવિધ ધર્મો અથવા અલગ-અલગ સમાજના છોકરા-છોકરીઓના લગ્ન માટે માતા-પિતાની મંજુરી હોવી જરૂરી છે અગર જો સંજોગો વસાત માતા-પિતા હાજર ન હોય તો તેમના સ્વાભાવિક વાલીઓની મંજુરી ફરજિયાત બનાવવી જોઈએ જેથી પ્રેમની જાળમાં ફસાયેલી મહિલાઓને બચાવી શકાય છે અને તેમના જીવનને નર્ક બનવાથી બચાવી શકાય છે. અગાઉ પણ સંસ્થા એ પ્રેમલગ્ન માં વાલીઓ ની સંમતિ મંજુરી બાબતે ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેમજ દેશના તમામ મુખ્યમંત્રીઓ ને તા.૨૧/૦૮/૨૦૨૧ અને ૦૮/૦૯/૨૦૨૨ ના રોજ પત્ર પાઠવી ને આવેદન કરેલ છે. ગુજરાત ના મુખ્યમંત્રી પ્રેમલગ્નમાં માતાપિતા અથવા વાલીઓની સંમતિ હોવી જરૂરી એવો કાયદો અમલમાં લાવવાના સરાહનીય વિચાર ને સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા તેમજ ટ્રસ્ટીગણ હાજી જુમાભાઈ રાયમા, ઇનામુલહક ઈરાકી, સૈયદ હૈદરશા પીર, હાજી નુરમામદભાઈ રાયમા, હબીબશા સૈયદ, અનવરશા સૈયદ, સુલતાનભાઇ માંજોઠી, સાદીકભાઇ રાયમા, શાહનવાઝભાઈ શેખ, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના સાહબ, મોહંમદઅલી ભીમાણી, નજીબભાઈ અબ્બાસી, નાસીરખાન પઠાણ, અ.રસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, ઈદ્રીશભાઈ વ્હોરા, હાજી અ.રઝ્ઝાક ખત્રી, નુરમામદ મંધરા, રફીકભાઈ તુર્ક, હારુન કુંભાર તથા સમસ્ત સંસ્થા પરિવાર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ને સમર્થન આપી નમ્ર અરજ કરાઈ છે કે આ કાયદો જલ્દી અમલમાં આવે જેથી માસુમોનું જીવાન નરક બનતા અટકાવી શકાય. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *