માંડવીમાં જન કલ્યાણ મેડિકલ સોસાયટીમાં મુન્દ્રાના યુવાનનું ટાંકા વગરનું દૂરબીન થી થયેલ સફળ ઓપરેશન.

સંસ્થામાં આવેલા લેપ્રોસ્કોપી ના અધ્યતન મશીનમાં ડો. શ્યામ ત્રિવેદીએ વાઢકાપ વગર દૂરબીનથી સફળ ઓપરેશન કર્યું.
ઓપરેશન કર્યા બાદ 24 કલાકમાં જ દર્દીને ઘરે જવા રજા આપી.

માંડવી તા. ૨૮/૧૦
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ – હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવીમાં લેપ્રોસ્કોપી થી ઓપરેશન કરવાનું અદ્યતન મશીન આવેલ છે.
સંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી તેમજ પ્રવક્તા દિનેશભાઈ શાહના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી ઓપરેશનના છ વર્ષના અનુભવી ડો. શ્યામ ત્રિવેદી સુંદર કામગીરી કરી રહ્યા છે. અત્રેની હોસ્પિટલમાં નિયમિત રીતે રાહત ભાવે ઓપરેશન કરી આપવામાં આવે છે.
તાજેતરમાં મૂળ બિહારના પરંતુ હાલમાં બીપીનભાઈ અરવિંદભાઈ ગાલા પાસે મુન્દ્રામાં નોકરી કરતા અંકેશકુમાર સિકંદર મંડલ (ઉંમર વર્ષ 30) ને શારીરિક તકલીફ થતા તેમને માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીમાં તેડી આવેલ હતા. તેમની સાથે દર્દી અંકેશકુમાર ના બનેવી વિદ્યાનંદ મંડલ આવેલ હતા. ડો. શ્યામ ત્રિવેદીએ અંકેશકુમાર નું ચેકઅપ કરતા ઓપરેશન ની જરૂર જણાઈ હતી. ડો. શ્યામ ત્રિવેદીએ એપેના સેકટોમી લેપ્રોસ્કોપી થી વાઢકાપ વગર દૂરબીન થી સફળ ઓપરેશન કરી આપેલ હતું. સંસ્થાએ ઓપરેશન રાહત દરે કરી આપેલ જ્યારે દવામાં 50% રાહત આપેલ હતી.
અંકેશકુમાર ની તબિયત 24 કલાકમાં જ બરાબર થઈ જતા તેને પોતાના ઘરે મુન્દ્રા જવાની રજા આપવામાં આવી હતી.
અંકેશકુમાર નું ઓપરેશન સફર રીતે કરી આપવા બદલ અને રાહત ભાવે કરી આપવા બદલ રોહનભાઈ અરવિંદ ગાલા અને દર્દીના બંને વિદ્યાનંદ મંડલે ડો. શ્યામ ત્રિવેદી તથા સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપ-પ્રમુખ શાંતિભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, સમસ્ત ટ્રસ્ટી મંડળ તથા હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *