માંડવીમાં 28મી ઓક્ટોબરને શનિવારના રોજ જનકલ્યાણ મેડિકલ સોસાયટી તથા જવેરબેન લખમશી હરદાસ વાડીયા તરફથી સ્ત્રીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે.

માંડવી તા. ૨૬/૧૦
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદીપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવી તથા જવેરબેન લખમશી હરદાસ વાડીયા (શીરવા – માંડવી) તરફથી, તા. 28/10 ને શનિવારના બપોરના 3:30 થી 6:00 વાગ્યા સુધી સ્ત્રીઓ માટે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે.
સ્તન જનજાગૃતિ માસ નિમિત્તે દરેક જ્ઞાતિના બહેનો માટે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન તથા જાગૃતિના યોજાનારા નિ:શુલ્ક કેમ્પમાં, પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. ચાર્મીબેન પવાણી સેવા આપનાર હોવાનું જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી તથા સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં જરૂર જણાશે તેવા બહેનોને પેપ સ્મીયર ટેસ્ટ સંપૂર્ણ નિ:શુલ્ક કરી આપવામાં આવશે. દવાઓ 50% રાહત દરે આપવામાં આવશે. સોનોગ્રાફી તેમજ સ્તનની મેમોગ્રાફી જરૂર જણાશે તો નિ:શુલ્ક કરી આપવામાં આવશે. આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો માંડવીના તેમજ આજુબાજુના ગામોના બહેનોને લાભ લેવા સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ અને સહમંત્રી મહેશભાઈ કંસારા એ અનુરોધ કરેલ છે.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનો લાભ લેવા સંસ્થાના ફોન નંબર 7990099010 તથા (02834) 224108 ઉપર નામ નોંધાવવા સંસ્થાના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *