ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગામ ઝુરા તા.ભુજ મધ્યે સીવણ માટેનો નવો નિશુલ્ક સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો શરુ કરાયો

ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ દ્વારા ભુજ તાલુકાના ઝુરા ગામ મધ્યે નિશુલ્ક સીવણ ક્લાસ નું શુભારંભ કરવામાં આવ્યું. કાર્યકમની શરૂઆત તિલાવતે કુરાન શરીફ થી મોલાના સલીમ‌ મુસ્તફાઈ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યકમના અધ્યક્ષ સ્થાને થી ઈબ્રાહિમભાઈ જત એ જણાવ્યું હતું કે સંસ્થાના કાર્યો ને બિરદાવતા સંસ્થા દ્વારા ઝુરા ખાતે શરૂ કરેલ‌ સીવણ ક્લાસ માટે ઝુરા ગામ વતિ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ભવિષ્યમાં પણ સંસ્થાનો સાથસહકાર આપવા જણાવ્યું હતું. સંસ્થાના વિવિધ સેવાકીય પ્રવૃતિઓની ટૂંકી માહિતી સંસ્થાના આરોગ્ય સમિતિના પ્રમુખ સૈયદ હબીબશા અબ્દુલ રસુલશા એ આપી હતી. આ કાર્યક્રમ માં ઝુરા મુસ્લિમ સમાજના અગ્રણી રઝાકભાઈ લુહાર, યુવા સમિતિના ગુલામ જત, તેમજ ટ્રેનર મીમી‌બાઈ ખોડ સાથે મરીયમબાઈ લુહાર, દિલશાદબેન સૈયદ, મુસ્કાનબેન લુહાર તેમજ ઝુરા સુન્ની મુસ્લિમ મહિલા મંડળના હોદ્દેદારો અને યુવા સમિતિના હોદ્દેદારો દ્વારા આયોજન માં સાથ સહકાર અપાયો હતો.


ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ દ્વારા કચ્છ ભરમાં ૫૦ જેટલા તાલીમ વર્ગો શરુ કરી ૧૧૦૦ જેટલી તાલીમાર્થી બહેનો તથા તાલીમાર્થી ભાઈઓ ને તાલીમ પૂર્ણ કરી પ્રમાણપત્રો એનાયત કરાયા છે. હાલે સંસ્થા દ્વારા કચ્છ ભરમાં ૧૨ જેટલા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા એ ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વર્તમાન સમય માં હુન્નર શીખવા માટે જરૂરી હોવાનું જણાવી હુન્નર થી લોકો પોતાની હલાલ રોજગારી ની સાથે સાથે સમય નો સદુપયોગ કરી પોતાના પરિવાર માટે આવક નો સ્ત્રોત ઉભો કરી શકે. સંસ્થાના પ્રમુખે આગળ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ દરેક ધર્મ, દરેક સમાજ ના લોકોને આવા તાલીમ વર્ગો દ્વારા સાચા અર્થમાં સ્વનિર્ભર બની પોતાના પરિવાર સમાજ અને દેશના હિતમાં પોતાનો ફાળો અર્પે. જેથી તાલીમ મેળવનાર દરેક તાલીમાર્થીઓને સંપૂર્ણ નિપુણતા મેળવવા આહવાન કર્યું હતું તથા તમામ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તથા આવનારા સમયમાં પણ સંસ્થા આ પ્રકાર ના તાલીમ કેન્દ્રો શરુ કરી રોજગાર લક્ષી તાલીમ આપતી રહેશે એવું જણાવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓ હાજી જુમાભાઈ રાયમા, ઇનામુલહક ઈરાકી, હૈદરશા પીર, હાજી નુરમામદ રાયમા, યુસુફભાઈ સંગાર, અનવરશા સૈયદ, શાહનવાઝ શેખ, સુલતાનભાઇ માંજોઠી, નાસીરખાન પઠાણ, અશરફભાઈ પાસ્તા, મહેબુબભાઈ ભીમાણી, સાદીક્ભાઈ રાયમા, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના, અબ્દુલભાઈ આગરીયા, નજીબભાઈ અબ્બાસી, ઇદ્રીશભાઈ વ્હોરા સંસ્થાના હોદેદારો હાજી અ.રઝાક ખત્રી, હાજી નુરમામદ મંધરા, રફીકભાઈ તુર્ક, સુલતાનભાઇ આગરીયા, હનીફભાઈ જત, રમઝાનભાઈ રાઉમા તથા સંસ્થા પરિવારે તાલીમ કેન્દ્ર અને તાલીમાર્થીઓની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *