બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો કેમ વધી રહ્યા છે?

આજે ૧૪ થી ૧૮ વરસના બાળકોને અને યુવાનોને હાર્ટએટેક આવે તો સવાલ એ થાય છે પશ્રિમની આંધળી નકલ કરનાર રસોઈ કરવાની આળસ અથવા રસોઈ કરવાની અણઆવડત છુપાવવા ફાસ્ટ ફૂડ જેવા વાસી ખોરાક અને સાબિત થયેલા ટોયલેટ ક્લિનર જેવા પીણાં પોતે પીએ અને કિશોર અવસ્થામા બાળકોના હાથમા પડીકા બાટલી મોબાઈલ ફોન પકડાવી પોતાના સમાજમાં અને સોસાયટીમાં પોતે વધુ ભણેલા અને હોશિયાર છે એવો સતત દેખાવ કરતા મૂર્ખા મા બાપ પોતાના સંતાનોની ઉંમર ઘટાડવામા જાણ્યે અજાણ્યે નિમિત્ત બંને છે આપણે બધાએ ચેતી જવુ ખુબ જરૂરી છે
આજે બીજાના બાળકોના ફોટા અને સમાચાર જોઈ વાંચી તમારા બાળકોને સ્વસ્થ તંદુરસ્ત જોવા માંગતા હોય આજથી જ સુધરી જાવ.
તમારા બાળકોને ઘરમાં જ બનાવેલા ખોરાક ખાય તેવો આગ્રહ રાખો.શેરડીનો રસ નાળિયેર પાણી ફળોના રસ જેવા પીણાં તમે પોતે બાળકોની સામે પીવો અને બાળકોને પીવડાવી તેમનું આયુષ્ય વધારો જે ટોયલેટ ક્લિનર જેવા પીણાં કરતા દરેક રીતે સસ્તું પડશે
બધી કંપનીઓની ચોકલેટમા ભેળસેળ હોય છે ક્રીમ બનાવતી કંપનીઓ ક્રીમમા અખાદ્ય તેલ ઉમેરે છે
સાબુઓમા પણ દુપ્પલ ચાલે છે થશે ઠંડા પીણાંમા પણ મિલાવટ હોય છે
ભારતના ૧૪૦ કરોડ લોકોમાંથી ફક્ત ૧૦ ટકા જ લોકો રોજ ૧૦ રૂપિયાનો શેરડીનો રસ પીએ તો મહિનામાં કરોડો રૂપિયા આપણા દેશમા જ રહે.વિદેશી કંપનીઓ આપણા કરોડો રૂપિયા વિદેશ મોકલે છે.
આપણા રૂપિયા આપણા દેશમાં જ રહેવા જોઈએ

ફ્રીલાન્સ પત્રકાર :- અબ્બાસભાઈ કૌકાવાલા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *