ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ દ્વારા અંજાર શહેર ના મદીના નગર, આદિપુર ના કેશરનગર તથા ગામ કિડાણા મધ્યે નિશુલ્ક સીવણ વર્ગો નું શરુ કરવામાં આવ્યા છે. અંજાર મધ્યે ના સીવણ ક્લાસ માં ટ્રેનર તરીકે ઝાહીદાબેન મેમણ, આદિપુર મધ્યે ના ક્લાસ માં શાહીનાબેન શાહ તથા કિડાણા મધ્યે ના ક્લાસ માં રૂકસાનાબેન ચાવડા સેવા આપશે. અંજાર મધ્યે ના ક્લાસ માં ૨૧, આદિપુર માં ૨૧ તેમજ કિડાણા માં ૨૫ જેટલી તાલીમાર્થી બહેનો તાલીમ લેશે.
ઈત્તિહાદુલ મુસ્લેમીન-એ હિન્દ ટ્રસ્ટ દ્વારા કચ્છ ભરમાં ૫૦ જેટલા તાલીમ વર્ગો શરુ કરી ૧૧૦૦ જેટલી તાલીમાર્થી બહેનો તથા તાલીમાર્થી ભાઈઓ ને તાલીમ પૂર્ણ કરી પ્રમાણપત્રો એનાયત કરાયા છે. હાલે સંસ્થા દ્વારા કચ્છ ભરમાં ૧૫ જેટલા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે.
સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા એ ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વર્તમાન સમય માં હુન્નર શીખવા માટે જરૂરી હોવાનું જણાવી હુન્નર થી લોકો પોતાની હલાલ રોજગારી ની સાથે સાથે સમય નો સદુપયોગ કરી પોતાના પરિવાર માટે આવક નો સ્ત્રોત ઉભો કરી શકે. સંસ્થાના પ્રમુખે આગળ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય હેતુ દરેક ધર્મ, દરેક સમાજ ના લોકોને આવા તાલીમ વર્ગો દ્વારા સાચા અર્થમાં સ્વનિર્ભર બની પોતાના પરિવાર સમાજ અને દેશના હિતમાં પોતાનો ફાળો અર્પે.
જેથી તાલીમ મેળવનાર દરેક તાલીમાર્થીઓને સંપૂર્ણ નિપુણતા મેળવવા આહવાન કર્યું હતું તથા તમામ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તથા આવનારા સમયમાં પણ સંસ્થા આ પ્રકાર ના તાલીમ કેન્દ્રો શરુ કરી રોજગાર લક્ષી તાલીમ આપતી રહેશે એવું જણાવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓ હાજી જુમાભાઈ રાયમા, ઇનામુલહક ઈરાકી, હૈદરશા પીર, હાજી નુરમામદ રાયમા, યુસુફભાઈ સંગાર, અનવરશા સૈયદ, શાહનવાઝ શેખ, સુલતાનભાઇ માંજોઠી, નાસીરખાન પઠાણ, અશરફભાઈ પાસ્તા, મહેબુબભાઈ ભીમાણી, સાદીક્ભાઈ રાયમા, મૌલાના અબુદુજાના, અબ્દુલભાઈ આગરીયા, નજીબભાઈ અબ્બાસી, ઇદ્રીશભાઈ વ્હોરા સંસ્થાના હોદેદારો હાજી અ.રઝાક ખત્રી, હાજી નુરમામદ મંધરા, રફીકભાઈ તુર્ક, સુલતાનભાઇ આગરીયા, હનીફભાઈ જત, રમઝાનભાઈ રાઉમા તથા સંસ્થા પરિવારે તાલીમ કેન્દ્ર અને તાલીમાર્થીઓની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા