ભૂજ તાલુકા ના દેશલપર (વાંઢાય) ગામમાં આંખોના તમામ રોગો ૨૪૯ જણાં ઓ એ આવી ને લીધો હતો ૩૪ વ્યક્તિઓના જુદા જુદા ઑપરેશનો કરી અપાશે

કે સી આર સી હૉસ્પિટલ ભુજ, ગાયત્રી પરિવાર નલિયા,પાટીદાર સમાજ દેશલપર,લોહાણા મહાજન દેશલપર દ્વારા આયોજિત કેમ્પ રોગો ની તપાસ ડૉ શુભમ રાવતે કરી ને દવા ટીપાં આપ્યા હતા

આંખનાં મોતીઆના -વેલના ઓપરેશન લાયક ૧૭ દરદી ઓ ને કે.સી.આર. સી.આઇ હોસ્પિટલ ભુજ માં ફ્રી કરી અપાશે. કંઝેવાઈટસ્ રોગ માટે ૫૦ થી વધારે લોકોને કાળા ચશ્મા અને ટીપા પણ નિશુલ્ક અપાયા હતા.

પડદા વાળા ૪ જણા નાં ના,છારી વાળા ૫ જણાંનાં,જામર વાળા ૨ ત્રાંસી આંખ વાળા ૨ બાળકો ના, ફુલ્લા વાળા ૪ જણાંઓ ના ઓપરેશન ગાયત્રી પરિવાર પ્રેરિત “ધન લક્ષ્મી બેન આઈયા સાર્વજનિક ચેરી.ટ્રસ્ટ નલિયા” મારફત કરી અપાશે.


આ કેમ્પનાં આયોજન,વ્યવસ્થા અને પ્રચાર પ્રસાર માં હરેશભાઈ ઠક્કર (નલિયા ગાયત્રી,પચાણ ભાઇ ગઢવી(,પરસોત્તમ ભાઈ એલ.વાસાણી અને રજનીકાંત ભાઇ પંડિત પોત્રા નો મુખ્યત્ત્વે સહયોગ રહ્યો હતો.

આ કેમ્પમાં સુરેશભાઈ વાસાણી, કલ્પેશભાઈ માવાણી, પ્રશાંત ભાઈ ઠકકર,કૌશિકભાઇ ઠકકર,ઈશ્વર ભાઈ ડામોર વિ. એ સરીબમહેનત કરી હતી.

કચ્છ ગાયત્રી પરિવાર નાં શિવજી ભાઈ મોઢ, સુકેતુ ભાઈ રૂપારેલ, ડો શ્વેતા બેન સેલોત વિ.પણ પ્રચાર પ્રસારમાં ઉપયોગી રહ્યા હતા.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *