શ્રી તપગરછ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે સાધ્વીજી ભગવંત શ્રી હંસ લક્ષિત મહારાજ સાહેબ આદિ થાણા 2 ની નિશ્રામાં પર્વ ધીરાજ પ્યુષ્ણ નો પ્રારંભ થયો છે

મહારાજ સાહેબ જીનવાણી માં મહારાજ સાહેબ એ જણાવ્યું હતુ કે જૈનો ની કુળદેવી જીવદયા છે તથા જીવદયા પર મહારાજ સાહેબ ભાર મુકતા મહારાજ સાહેબ ની પ્રેરેણા થી પયુષ્ણ પર્વ તારીખ 12-09-2023 થી20-09-2023 સુધી એમ કુલ 9 દિવસ સુધી ગોરક્ષા માં દરરોજ એક ટેમ્પો નીલો ચારો ની નીરણ કરવામાં આવશે.

જેમાં 4 દિવસનો લાભ શાહ વડીલાલ હાથી ભાઈ પરિવાર દ્વારા 2 દિવસ દિનેશ ભાઈ મોરખિયા ( ચુનરી સેલ) ,1 દિવસ નો લાભ કંચન બેન વાડીલાલ હીરા ચંદ ફોફડીયા પરિવાર 1 દિવસ નો લાભ મહેતા શાંતા બેન ધારશી ખેતશી ભાઈ પરિવાર (લોડાઇ) વાળા તથા 1 દિવસ મુંદરા જૈન સંધે લાભ લીધો છે.

ગૌરક્ષાસંચાલક રતનભાઈ ગઢવીએ દાતા પરિવાર નો આભાર માનયો હતોઆગાઉ પન્યાસ પ્રવર પૂર્ણ રક્ષિત મહારાજ સાહેબ ના ચાતુર્માસ ટાઈમે ગાયો માજે લંપી વાયરસ માં પણ મહારાજ સાહેબ ની પ્રેરણા ગાયો ની સારવાર તથા ગાયોને નીરણ જૈન યુવક મંડળ ધ્વારા કરવામાં આવ્યું હતું જૈન યુવક મંડળ છેલ્લા 30 વર્ષ થી જીવદયા ની પ્રવુતિ કરી રહયા છે એમ તપગરછ જૈન સંઘ ના યુવા અગ્રણી વિનોદ મહેતા ની યાદી માં જણાવ્યું છે.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *