ગોંડલના રાણસીકી ગામે ડાક-ડમ્મર સાથે ચામુંડા માતાજીનો નવરંગો માંડવો
સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશભાઇ અને ધીરુભાઇ ડાકની રમઝટ બોલાવશે
દર્શન-પૂજન, મહાપ્રસાદ, દાંડિયારાસ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે
રાજકોટ | ગોંડલ તાલુકાના રાણસીકીમાં આવેલ રાવરાણી પરિવારના માતાજીના મઢ ખાતે શ્રી ચામુંડા માતાજીના નવરંગા માંડવાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ તકે માતાજીના માંડવામાં સુપ્રસિદ્ધ રાવળદેવ ધર્મેશભાઇ અને રાવળદેવ ધીરુભાઇ કાથડભાઇ ડાક-ડમ્મર સાથે માતાજીની આરાધના કરશે. આ સમગ્ર કાર્યક્રમ તા. 23 માર્ચને ફાગણ સુદ-13ને શનિવારના રોજ 24 કલાક દરમિયાન આખો દિવસ યોજાશે. જેમાં શનિવારે સવારે 7 કલાકે થાંભલી રોપવામાં આવશે તેમજ બપોરે 12 કલાકે તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદ તેમજ સાંજે 7 કલાકે દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે ભરતભાઇ રાવરાણી અને વિપુલભાઇ રાઠોડ દાંડિયા રસિકોને રાસ-ગરબાની રમઝટ સાથે ડોલાવશે.
24 કલાક યોજાનાર ચામુંડા માતાજીના નવરંગા માંડવાનું આયોજન ભૂવાશ્રી કિશોરભાઇ નાનજીભાઇ રાવરાણી, નટુભાઇ નાનજીભાઇ રાવરાણી, રમેશભાઇ નાનજીભાઇ રાવરાણી અને પ્રકાશ રમેશભાઇ રાવરાણી દ્વારા કરવામાં આવ્યું છે. આ તકે કળના (ચામુંડા માતાજી)ભૂવાશ્રી કિશોરભાઇ રાવરાણી અને કલમના ભૂવાશ્રી મનસુખભાઇ બોઘાભાઇ વીરડિયા(ખોડિયાર માતાજી) ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક સડક પીપળિયા મકનબાપા સેવાધામના ગાદીપતિ અને ગૌ ભક્તશ્રી નરેન્દ્ર ભગતની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ તકે માતાજીના માંડવામાં કુટુંબના ભૂવાશ્રી વડિયાના કાળુભાઇ રાવરાણી, વિપુલભાઇ રાવરાણી, જમનાવડ મઢના મનજીભાઇ રાવરાણી, કાળુભાઇ રાવરાણી, ભૂખી મઢના અશ્વિનભાઇ રાવરાણી તેમજ ભાયાવદર અને બધિયા મઢના મોહનભાઇ રાવરાણી ઉપસ્થિત રહેશે. આ સાથે માંડવાના ભુવાશ્રીઓમાં ખોડિયાર માતાજી, ચામુંડા માતાજી, મોમાઇ માતાજી, મચ્છો માતાજીના ભૂવાશ્રીઓ બિરાજશે. તેમજમ જેસલપીરના ભૂવા અને કમઢિયા મામા સરકાર માંડવાના ભૂવાશ્રીઓ બિરાજમાન થશે. આ સમગ્ર ધાર્મિક પ્રસંગે ચામુંડા માતાજીના માંડવાના પ્રસંગે ભુવાશ્રીઓ તથા રાવરાણી પરિવાર દ્વારા ભક્તોને માતાજીના દર્શન કરવા, મહાપ્રસાદ તેમજ પૂજનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અહેવાલ :- નયનભાઈ રાવરાણી